Posts

Showing posts from December, 2024

BZ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા 7 દિવસના રિમાન્ડ પર, રહસ્યો પરથી પડદો ઉંચકાશે

Image
  BZ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા 7 દિવસના રિમાન્ડ પર, રહસ્યો પરથી પડદો ઉંચકાશે https://youtube.com/shorts/WfYxZZqdZLs?si=-M-Qeb9pi5u31f0H BZ Ponzi scheme scam :  ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ આજે પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સી.આઇ.ડી. ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મંજૂર થતાં બીજા અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાશે એવી આશા છે.  34 દિવસ બાદ ઝડપાયો હતો ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ચોંકાવનારી વાત એ છે કે  તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ ર...

BZફાઇનાન્સના રૂ. છ હજાર કરોડના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ

Image
 BZફાઇનાન્સના રૂ. છ હજાર કરોડના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ https://youtube.com/shorts/WfYxZZqdZLs?si=C0zAUECok6ezaQsz - મહેસાણાના વિસનગરના દવાડા ગામના ફાર્મમાં છુપાયો હતો  - બીઝેડ ફાઇનાન્સ હેઠળ અલગ અલગ કંપનીઓમાં રોકાણ પર બમણા વળતરની લાલચ  આપીને ગુજરાતનું સૌથી મોટંુ પોન્ઝી કૌભાંડ આચર્યું હતું અમદાવાદ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બી ઝેડ ફાઇનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઓફિસો શરૂ કરીને રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરતા હવે આ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં તેમજ ઉત્તર ગુજરાત , ગાંધીનગર અને મધ્યગુજરાતમાં બીઝેડ ફાઇનાન્સ હેઠળ અલગ અલગ કંપનીઓ ખોલીને લોકોને નાણાંના રોકાણની સામે ...

પૂર્વ PM મનમોહન સિંહનુંનિ ધન: 92 વર્ષની વયે દિલ્હીની AIIMS ખાતે લીધા અંતિમ શ્વાસ; PM મોદી-શાહે ટવીટ કરી શ્રદ્ધાંજલિ આપી

Image
  પૂર્વ PM મનમોહન સિંહનુંનિ ધન: 92 વર્ષની વયે દિલ્હીની AIIMS ખાતે લીધા અંતિમ શ્વાસ; PM મોદી-શાહે ટવીટ કરી શ્રદ્ધાંજલિ આપી https://youtube.com/shorts/VqzE74aOdQg?si=anG2G-4rVu45IlZp ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. બેહોશ થઈ જતાં તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાત્રે 9:51 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. મનમોહન સિંહ બે વખત દેશના વડાપ્રધાન રહ્યા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ એઈમ્સ પહોંચ્યા. બીજી તરફ પીએમ મોદીએ સિંહના પરિવાર સાથે વાત કરી હતી. દરમિયાન, કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા છે. તેઓ મોડી રાત્ર...

ભાજપ દ્વારા 12 મંડલોના પ્રમુખોની ઘોષણા: મોડી સાંજે ભાજપ દ્વારા યાદી જાહેર કરાઇ

Image
 ભાજપ દ્વારા 12 મંડલોના પ્રમુખોની ઘોષણા: મોડી સાંજે ભાજપ દ્વારા યાદી જાહેર કરાઇ • દાહોદમાં ભાજપે ગત ટર્મના મહામંત્રીને શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી https://youtube.com/shorts/GC79FJCbuC0?si=bFZeHUJZYjLU23Vp ભાજપ દ્વારા દાહોદના 9 તાલુકાના 12 મંડલના પ્રમુખોની જાહેરાત મંગળવારની સાંજે કરી હતી . પ્રમુખ બનવા માટે વય મર્યાદા 40 વર્ષની ઉપર ન હોવી જોઈએ તેવો નવો નિયમ અમલી બનાવાતાં અનેકના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. દાહોદ જિલ્લાના 12 મંડલમાંથી 94 લોકોએ શહેર અને તાલુકા માટે પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. મંડલ પ્રમુખ તરીકેની દાવેદારીઓ મંગાવ્યા બાદ દરેક મંડલમાં આવતા બુથ પ્રમુખ પાસેથી મંડલ પ્રમાણે મંડલ પ્રમુખ માટેના સેન્સ દાહોદ મોકલવામાં આવેલા પ્રદેશ ચૂંટણી સહ સંયોજક યોગેન્દ્રસિંહ ગોહિલે દ્વારા લેવામાં આવ્યા હતાં. કેન્દ્રની ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાન સભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કર્યા બાદ મંગળવારે જાહેરાત કરી હતી. જેમાં દાહોદ શહેરમાં ગત ટર્મમાં મહામંત્રી રહેલા અર્પિલ શાહને શહે...

અમદાવાદ : રખિયાલ તલવાર હુમલા કેસમાં ક્રાઈમબ્રાન્ચે ફરાર બે આરોપીઓની કરી ધરપકડ

Image
અમદાવાદ : રખિયાલ તલવાર હુમલા કેસમાં ક્રાઈમબ્રાન્ચે ફરાર બે આરોપીઓની કરી ધરપકડ https://youtube.com/shorts/D5cStk140MY?si=jl9x6wwXv0G9BKMk અમદાવાદના રખિયાલમાં ખુલ્લેઆમ તલવારો સાથે આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરનાર ફઝલ શેખ અને સમીર શેખ બાદ વધુ બે આરોપીઓ અલ્તાફ શેખ, મહેફૂઝ મિયાની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે. ચારેય આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું છે.  લોકો અને પોલીસમાં ધાક જમાવનાર સમીર શેખ, અલ્તાફ શેખ, મહેફૂઝ મિયા અને ફઝલ શેખને ઘટના સ્થળ પર લાવી પોલીસે જનતાને સરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો. સાથે જ ત્રણેય આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી હતી. પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યાં છે. આ મામલે હજુ બે આરોપી અન્ની રાજપુત અને સરવર ઉર્ફે કડવો ફરાર છે. સમીર શેખ 24 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર તો રખિયાલમાં આતંક મચાવનાર સમીર શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની કરવામાં માંગ કરવામા આવી હતી. કોર્ટે સમીર શેખના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમીર શેખ ઉર્ફે ચીકના મહેબૂ...

મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળમાંથી સગીરાના અપહરણકારને ઉઠાવી લાવ્યાં

Image
મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળમાંથી સગીરાના અપહરણકારને ઉઠાવી લાવ્યાં મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલે પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં જઈને સગીરાના અપહરણકારને સગીરા સાથે ઉઠાવી લાવ્યા છે. આ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં વેશપલટો કરી આરોપીનું પગેરું શોધી કાઢીને સગીરા સાથે આરોપીને પકડી પાડ્યો હતો અને ત્યાંથી મોરબી લઈ આવ્યાં હતા.  મોરબીમાંથી પરપ્રાંતીય સગીરાનું આરોપીએ કર્યું અપહરણ મોરબીના લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનાની કોલોનીમાં તેના પરિવાર સાથે રહેતી મૂળ મધ્યપ્રદેશની એક 17 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળના મેદનીપુરાના એક ગામમાં રહેતો 20 વર્ષીય આરોપી રણજીત કલીપદા મન્ના લગ્ન કરવાની લાલચ આપીને જાતીય શોષણ કરવાંના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ- 137(2), 87 તથા પોક્સો કલમ-18 મુજબ ગુનો નોંધ્યો હતો. PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી મેદનીપુર મોકલવામાં આવ્યાં  ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક ...

પ.પૂજ્ય ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા

Image
પ. પૂજ્ય ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા સંવિધાનમાં આપણને 73AAની શક્તિ આપેલી છે, તેમ છતાં પણ જમીનો બીજાના નામે થઈ રહી છેઃ ચૈતર વસાવા https://youtube.com/shorts/-q7zjVgdZCo?si=LMNYf4r4twzuIzAS હેડલાઈન । રાજપીપળા ૫.પૂ.ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ કેવાયસી કરાવવા માટે આપણે લોકો લાઈનોમાં ઊભા રહી ગયા છીએ, એ પત્યું ન હતું અને ત્યાં સરકારે કહ્યું કે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો નહીંતર ખેડૂત તરીકે તમારું નામ રદ થઈ જશે અને ખેડૂતને મળતા ફાયદાઓ મળવાના બંધ થઈ જશે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આધાર કાર્ડ તમે આપો છો આવનારી ચૂંટણીઓમાં તમામ આદિવાસી સીટો પર આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે એવા લોકોને ચૂંટણીમાં જીતાડવા પડશે, ત્યારે જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું: ચૈતર વસાવા કે અમે ખેડૂત છીએ, અમારે ક્યાં ખેડૂ...

દાહોદ એરપોર્ટ મુદ્દે ખેડૂતોની આંદોલનની ચીમકી: કલેક્ટરને આવેદન આપી ઝાલોદના ટાઢાગોળા સહિતના પાંચ ગામોનો વિરોધ, કહ્યું- જમી

Image
દાહોદ એરપોર્ટ મુદ્દે ખેડૂતોની આંદોલનની ચીમકી: કલેક્ટરને આવેદન આપી ઝાલોદના ટાઢાગોળા સહિતના પાંચ ગામોનો વિરોધ, કહ્યું-                        જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનવા દઈશું નહીં દાહોદ એરપોર્ટનો મુદ્દે ફરી ગરમાયો છે. ઝાલોદ તાલુકાના પાંચ ગામના લોકો કલેક્ટર કચેરીએ વિરોધમાં ઉતર્યા છે. કલેક્ટરને ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન સંપાદન મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાનું ગામ નામશેષ થવાનો ભય પણ દર્શાવ્યો હતો. સાથે જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનાવ દઈશું નહીં તેવી ગર્ભિત ચીમકી આપી હતી. તો યુવાઓએ પણ દાહોદ એરપોર્ટનો મુદ્દે ફરી ગરમાયો છે. ઝાલોદ તાલુકાના પાંચ ગામના લોકો કલેક્ટર કચેરીએ વિરોધમાં ઉતર્યા છે. https://youtu.be/RUSBI6-0kjY?si=FFhth8dI4gsDNtHQ કલેક્ટરને ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન સંપાદન મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાનું ગામ નામશેષ થવાનો ભય પણ દર્શાવ્ય...

પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશના આદર્ય

Image
પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશના આદર્ય 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' હેઠળ સુશાસનની શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, જે એક મોટી સિદ્ધિ છે. આ પુરસ્કાર ગ્રામીણ વિકાસ અને સ્થાયીતા માટેની ઉચિત વ્યૂહરચનાઓ અને સુશાસન પ્રણાલીઓ માટે આપવામાં આવે છે. વાવકુલ્લી-૨ પંચાયતે ગવર્નન્સમાં પારદર્શિતા, સામુદાયિક https://youtu.be/12WA6AT2l18?si=bVGZR-Si0aAM4MXL સહભાગીતાના મોડેલ અને લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓનું સફળ અમલ કરતા આ સિદ્ધિ મેળવી છે. આ પુરસ્કાર રાજ્ય અને જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની રહેશે. આ સફળતામાં ગામની પ્રતિભા, સાંસ્કૃતિક મૂલ્યો અને નેતૃત્વની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જે સમાજના સર્વાંગી વિકાસ તરફ એક મહાન ઉદાહરણ છે.

દાહોદમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Image
  દાહોદમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ખ રેડી GIDCમાં ખાદ્યતેલના પાઉચ, ડબ્બા તથા બોટલો સાથે શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો મળ્યો, ₹15.45 લાખનો મુદ્દામાલ જપ્ત દાહોદ તાલુકાના ખરેડી જીઆઇડીસીમાં ખાનગી માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા 1,17,309/- ઉપરાંતની કિંમતના ખાદ્યતેલના પાઉચ, ડબ્બોઓ તથા બોટલો તેમજ શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા 15,45,290/-ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ SOG પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં નકલી કચેરી, એન.એના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. દાહોદ શહેરના ગોદી રોડ, ઉકરડી રોડ પર નૂર મહોલ્લા ખાતે રહેતા મૂરતુજાભાઈ કુત્બુદ્દીન ઝાબુઆવાલાની માલિકીના ખરેડી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 525 માં ચાલતી ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી મા શંકાસ...

ભાજપ સરકારના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદનો નિર્ણયના પુનઃ બહાલ કરે તે માટે લોકનેતા અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર..

Image
  ભાજપ સરકારના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદનો નિર્ણયના પુનઃ બહાલ કરે તે માટે લોકનેતા અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર.. સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેને લઈને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પત્ર લખી મુખ્યમંત્રીને રજુવાત કરવામાં આવી છે. પત્રના લખાણ મુજબ ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને સ્પ% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના વિધાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવ...

પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાને રદ કરીને સરકારે 60000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા.

Image
  પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાને રદ કરીને સરકારે 60000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા. સરકાર 500થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના તાયફાઓમાં વાપરી રહી છે: યુવરાજસિંહ જાડેજા  https://youtube.com/shorts/9zzoD1u7e3c?si=3xJ47ZVGhlZoOtxT *અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ્દ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરે: ચૈતર વસાવા *સરકારે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃતિની યોજનાને મૂરખ બનાવો યોજના બનાવી દીધી છે: યુવરાજસિંહ જાડેજા* *સરકારે પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે: ચૈતર વસાવા* *સરકારે અમારી માંગ ન માની તો, પાંચ દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોની તાળાબંધી કરી દઈશું: ચૈતર વસાવા*

ડેડીયાપાડા જનસેવા કેન્દ્ર ની આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા આજ રોજ મામલતદાર કચેરી ખાતે

Image
  ડેડીયાપાડા જનસેવા કેન્દ્ર ની આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા આજ રોજ મામલતદાર કચેરી ખાતે ઓચિંતા ની મુલાકાત લેતા જે ઓનલાઇન કામગીરી ચાલે છે જેમાં KYC,નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડ ઓપડેટ કે ખેડૂત રજીસ્ટ્રેશન વગેરે ની તમામ પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી. આખા ડેડીયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે ત્રણ-ચાર વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે. કેટલાક લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા આંટા મારે છે. તેમ છતાં પણ તેમના કામ થયા નથી. જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.https://youtube.com/shorts/nadN9hvPwsM?si=ONSrrGi4PqROZT22 દેશ ના વડાપ્રધાન @narendramodi એ ડિજિટલ ઇન્ડિયા અને ગુજરાત મોડેલ ના નામે દેશ અને વિદેશમાં વાહવાહી મેળવી, પરંતુ તેમની વાતો પોકળ સાબિત થાય છે.લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે. કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે? લોકો બે વર્ષ સુધી નોટબંધીની લાઈનમાં ઊભા રહ્યા, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગય...

વિજય રૂપાણી સાહેબ નક્કી કરશે કે કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી!!

Image
  વિજય રૂપાણી સાહેબ નક્કી કરશે કે કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી!! વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામન મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પસંદ કરશે. મુંબઈમાં મળનારી બેઠકમાં હાજર રહી ભાજપ સંસદીય બોર્ડના નેતા તરીકે વરણી કરશે. દેવેન્દ્ર ફડણવીસ નું નામ મુખ્યમંત્રી તરીકે સૌથી આગળ પણ નવા નામની પણ શક્યતા..! #MaharashtraCM #Maharashtra#Vijay Rupani

આજરોજ દેવગઢ બારીયા તાલુકાના જંબુસર, આંકલી, ડભવા, ઝાબીયા, ઉધવાળાં અને દેવગઢ બારીયાના વિવિધ વિકાસના કામો ના ખાતમુહુર્ત કરવામાં આવ્યા

Image
 આજરોજ દેવગઢ બારીયા તાલુકાના જંબુસર, આંકલી, ડભવા, ઝાબીયા, ઉધવાળાં અને દેવગઢ બારીયાના વિવિધ વિકાસના કામો ના ખાતમુહુર્ત કરવામાં આવ્યા  ૧. જંબુસર પ્રાથમિક શાળાના ૩ ઓરડા  ૨. આંકેલી પ્રાથમિક શાળાના ૫ ઓરડા  ૩. ડભવા પ્રાથમિક શાળાના ૫ ઓરડા  ૪. ઝાબીયા વયલા ફળીયા રોડ  ૫. ઝાબીયા પટેલ ફળીયા રોડ  ૬. દેવગઢ બારીયા શિક્ષણ ભવન પ્રાથમિક શાળાના ૪ ઓરડા  ૭. ઉધાવળા એપ્રોચ રોડ

e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત, 'માય રેશન એપ'થી ઘરે બેઠા કરી શકાય છે નોંધણી

Image
 ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે e-KYC પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી રહી છે. રાજ્યમાં લોકો માટે માય રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંકો અને આંગણવાડીઓ જેવા મલ્ટીપલ પ્લેટફોર્મ દ્વારા e-KYC કરવાની સુવિધા ઉપલબ્ધ છે. e-KYCની મુખ્ય વિગતો: 2.75 કરોડ નાગરિકોનું e-KYC: અત્યાર સુધીમાં રાજ્યમાં 2.75 કરોડથી વધુ નાગરિકોએ સફળતાપૂર્વક e-KYC કરાવ્યું છે. માય રેશન એપ: 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ દ્વારા e-KYC પૂર્ણ કર્યું છે. ગ્રામ પંચાયત અને VCE: 1.07 કરોડ નાગરિકોએ ગ્રામ પંચાયત અને VCE મારફતે e-KYC કરાવ્યું છે. આધાર કીટની સંખ્યા વધારવામાં આવી: હાલમાં રાજ્યમાં 4,376 આધાર કીટ કાર્યરત છે, જેમાંથી: જનસેવા કેન્દ્રો: 546 ગ્રામ પંચાયતો: 506 શિક્ષણ વિભાગ: 226 આંગણવાડીઓ: 311 પોસ્ટ અને બેંકો: 2,787 આ ઉપરાંત, 1,000 નવી આધાર કીટ્સ એક્ટિવ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મોનીટરીંગ અને સહાય: કંટ્રોલ રૂમ: ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ: તેઓએ પોસ્ટ અને બેંકો સાથે સંકલન કરીને આધાર કીટ્...

#BZ ગ્રુપ અને CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અને 6000 કરોડની વાત

Image
 #BZ ગ્રુપ અને CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અને 6000 કરોડની વાત વાત એમ છે કે કેટલાય લોકો એક 'મિસ્ટ્રી ગર્લ'ને શોધી રહ્યા છે..મિસ્ટ્રી ગર્લ સાથે જ આ બધો ખેલ શરૂ થયાની ચર્ચા છે બાદમાં બંને અલગ થયા છે... હવે ક્યારે સામે આવે એ જોવું રહ્યું હવે વાત એ છે કે પૈસા રોકાણકારો પાસેથી લીધા છે પણ વાત એવી પણ છે કે પૈસા લીધા છે તો હજુ કોઈ સામે એવું આવ્યું નથી કે જે કહે કે પૈસા અમને મહિને મળતા નથી કે ચાઉં થઈ ગયા.. આજે એક ભાઈએ કહ્યું કે ધંધો કરું છું અને 5 લાખ રૂપિયા રોક્યા છે પણ મહિને 3% વ્યાજ મળે છે...  "CID ક્રાઇમની મુશ્કેલી" કોઈ સામે આવતું નથી એટલે તપાસ એજન્સીને પણ મુશ્કેલી પડી રહી છે... દરોડા દરમિયાન દસ્તાવેજો તો જપ્ત થયા પણ એવું કંઈ હાથ લાગ્યું નથી જેથી ધરપકડ કરાયેલા લોકો સામે મજબૂત પુરાવા હોઈ એટલા માટે જ આજે કોર્ટે 10 દિવસની માંગ સામે ભૂપેન્દ્રસિંહની નજીકના મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ આપ્યા અને બાકીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દિધા છે અને હેલ્પ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. "રોકાણકારો ક્યારે કંટાળશે !!" નાના રોકાણકારોને પૈસા મળી રહ્યા છે..નથી મળી રહ્યા એવા મોટા મ...