ભાજપ સરકારના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદનો નિર્ણયના પુનઃ બહાલ કરે તે માટે લોકનેતા અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર..

 ભાજપ સરકારના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદનો નિર્ણયના પુનઃ બહાલ કરે તે માટે લોકનેતા અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર..





સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેને લઈને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પત્ર લખી મુખ્યમંત્રીને રજુવાત કરવામાં આવી છે.



પત્રના લખાણ મુજબ ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને સ્પ% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના વિધાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે.


ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાહેર થયેલા પરિપત્રની નકલ આ સાથે સામેલ છે.


સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ., એમ.સી.એ, એમ.ઈ. અને એમ.ફાર્મથી લઈને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઇને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા, આવા લાભ લેનારા મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજજવળ બનતું હતું, આવા હજારો વિધાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દૈનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે. ખાલી ટેકકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઇએ તો આદિવાસી સમાજમાંથી આવતા એસટી કેટેગરીના 39૦૦ વિધાર્થીઓએ પ્રવેશ લીધેલો છે, જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે, સરકાર તાત્કાલિક પોતાનો આ તઘલખી નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે. આદિવાસી સમાજને કરવામાં આવેલા આ ઘોર અન્યાય બંધ કરવામાં આવે. સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા ભાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે.


અનંત પટેલ - ધારાસભ્ય ૧૭૭ વાંસદા - ચીખલી વિધાનસભા

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર