42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા

 

42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયાhttps://youtu.be/ldo5tdbITBQ?si=zMGcAgdoIlQbIU8x

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા ( Parshottam Rupala) એ આપેલા નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિયોનો રોષ જોવા મળી રહ્યો છે અને ઠર ઠેર ધરણાં પ્રદર્શનો જોવા મળે છે. બીજી તરફ રુપાલા આજે સવારે દિલ્હીથી પરત ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. બપોરે ચાર વાગ્યાના અરસામા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર રુપાલાના નિવાસસ્થાને પહોંચતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 42 મિનિટ સુધી આ બંને મહત્વના નેતાઓ અને રુપાલા સાથે બંધ બારણે બેઠક ચાલી હતી. ત્યારે પરશોત્તમ રુપાલા મામલે ગમે ત્યારે મોટુ અપડેટ આવી શકે તેવી અટકળો (Speculation) ચાલી રહી છે. જો કે આ બેઠક બાદ રુપાલાના તેવર બદલાયેલા જોવા મળ્યા હતા.

ભાજપના ક્ષત્રિય નેતાઓએ પ્રદેશ મહામંત્રી રત્નાકરને રિપોર્ટ


સોંપ્યો હતો

પરશોત્તમ રુપાલા દિલ્હીથી આજે સવારે જ ગાંધીનગર પહોંચ્યા છે. બીજી તરફ ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય આગેવાનોએ રુપાલાની ટિકિટની રદ કરવાની માગ પર અડગ રહ્યા હતા તેથી આ બેઠક બાદ ભાજપના ક્ષત્રિય નેતાઓ પ્રદેશ મહામંત્રી રત્નાકરને મળવા ગયા હતા અને તેમને બેઠકનો રિપોર્ટ સોંપ્યો હતો.


Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર